દિલ્હી: જો ATM માંથી કેશ ન કાઢી શકવાની સ્થિતિમાં  પણ તમારા પૈસા કપાયા હોય તો આ સમાચાર તમને રાહત આપી શકે છે. ઓલ ઈન્ડિયા બેન્ક ડિપોઝિટર્સ એસોસિએશન (All India Bank Depositors Association) એ RBI પાસે માંગણી કરી છે કે કેશ ન નીકળવાની સ્થિતિમાં લાગતો ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ચાર્જ (Transaction Declined Charge)  હટાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેશ ન નીકળે ત્યારે કઈ સ્થિતિમાં કપાય છે તમારા પૈસા
હાલના નિયમો મુજબ એટીએમ  (ATM) માંથી તમે એક નિર્ધારિત મર્યાદા સુધી જ કોઈ પણ ચાર્જ વગર પૈસા કાઢી શકો છો. જો નિર્ધારિત મર્યાદા પૂરી થાય અને ત્યારબાદ તમે એટીએમનો ઉપયોગ કરો પરંતુ કેશ ન નીકળી તો તમારે ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ચાર્જ આપવો પડે છે. દરેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા અને જીએસટી (GST) ગ્રાહક પાસેથી વસૂલાય છે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં મોટા ભાગના એવા ટ્રાન્ઝેક્શન હોય છે કે જેમના ખાતામાં પૂરતું બેલેન્સ (Balance) ન હોય,આમ છતાં તેઓ એટીએમમાંથી પૈસા કાઢવાની કોશિશ કરે છે. 


Tractor rally: Tikri border પર ખેડૂતોએ મચાવી ધમાલ, બેરિકેડ તોડી દિલ્હીમાં ઘૂસ્યા


RBI ને કરાઈ છે ભલામણ
ઓલ ઈન્ડિયા બેન્ક ડિપોઝિટર્સ એસોસિએશને રિઝર્વ બેન્કને અપીલ કરી છે કે આ પ્રકારે ચાર્જ વસૂલવા એ યોગ્ય નથી. જેનાથી લોકો બેન્કથી અંતર જાળવી રહ્યા છે જે બેન્કની આર્થિક સ્થિતિ માટે જરાય સારું નથી. જલદી આરબીઆઈની પોલીસી મીટિંગ થઈ રહી છે. કહેવાય છે કે આરબીઆઈ આ બેઠકમાં ઓલ ઈન્ડિયા બેન્ક ડિપોઝિટર્સ એસોસિએશનની માગણી પર નિર્ણય લઈ શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube